મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે નડાબેટ ખાતે બી.એસ.એફ. જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
મંત્રીશ્રીએ સરહદના સંત્રીઓ સાથે દીપાવલી તહેવારની ઉજવણી વખતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સરહદો વધુ સુરક્ષિત બની છે. ઓપરેશન સિંદૂર સહિત જવાનોએ અનેક સૈન્ય અભિયાનો થકી શૌર્ય અને વીરતાનો પરિચય આપ્યો છે. દેશના બહાદુર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે અને તેમની આ ફરજનિષ્ઠા દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે….